મારા વિશે / મારો પરિચય

My photo
અંજાર, કચ્છ, India
નમસ્કાર મિત્રો, મારું નામ જિગ્નેશ પી.ગજ્જર છે .હું કચ્છ માં આવેલ અંજાર શહેર માં રહું છું. પ્રાથમિક શિક્ષણ તેમજ માધ્યમિક શિક્ષણ અહીની શાળામા લઇ S.S.C અને અને H.S.C પાસ કર્યુ. હાલમાં વેબ ડેવલોપ નો અભ્યાસ કરી રહ્યો છુ. શાળા ના આ દિવસોમાં મને અભ્યાસ ની સાથે ગુજરાતી સાહિત્ય ફ્રી ટાઈમ એ વાંચવાનો અને લખવાનો પણ બહુ શોખ હતો આ બ્લોગ મેં મારા વિચારો અને કઈ નવું તમારા સમક્ષ શેર કરી શકું એ હેતુ થી બનાવેલ છે.

Sunday, 24 November 2013

ઝવેરચંદ મેઘાણી, Jhaverchand Meghani


નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે,
ખબર છે આટલી કે માતની હાકલ પડી છે;
જીવે મા માવડી એ કાજ મરવાની ઘડી છે:
ફિકર શી જ્યાં લગી તારી અમો પર આંખડી છે?”
“જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા
પીધો કસુંબીનો રંગ;

રાજ ! મને લાગ્યો કસુંબીનો રંગ
- યુગવંદના
______________________________
જન્મ તારીખ 28 ઓગસ્ટ 1896
જન્મ સ્થળ ચોટીલા( જિ: સુરેન્દ્રનગર)-વતન : બગસરા( જિ: અમરેલી)
અવસાન 9 માર્ચ 1947
માતા ધોળીમા
પિતા કાળીદાસ
ભાઇ લાલચંદ, પ્રભાશંકર
લગ્ન 1) દમયન્તી  1922 2) ચિત્રાદેવી  1934
બાળકો પુત્રી  ઇન્દુ, પદ્મલા, મુરલી પુત્રમહેન્દ્ર, મસ્તાન, નાનક, વિનોદ, જયન્ત, અશોક
અભ્યાસ મેટ્રિક 1912 ; બી.એ.- 1917 શામળદાસ કોલેજ, ભાવનગર
વ્યવસાય 1918-21 કલકત્તામાં એલ્યુમિનીયમ કારખાનામાં મેનેજર ; 1922- સૌરાષ્ટ્ર સાપ્તાહિકના તંત્રીમંડળમાં; 1936-45 ફુલછાબમાં તંત્રી
જીવન ઝરમર 1930- સત્યાગ્રહ સંગ્રામ માટે રચેલાં શૌર્યગીતોના સંગ્રહ  સિંધુડો માટે બે વર્ષ કારાવાસ; અદાલતમાં છેલ્લી પ્રાર્થનાકાવ્ય ગાયું; સાબરમતી જેલમાં કોઇનો લાડકવાયો કાવ્ય લખ્યું . 1931- ગોળમેજી પરિષદમાં જતા ગાંધીજીને સંબોધીને  છેલ્લો કટોરો કાવ્ય લખ્યું; 1933- રવિન્દ્રનાથ ટાગોર સાથે મિલન; 1941- શાંતિનિકેતનમાં લોકસાહિત્ય વિશે વ્યાક્યાનો આપ્યાં; 1946- ગુજરાતી સાહિત્ય પરિષદના સોળમા અધિવેશનમાં સાહિત્ય વિભાગના પ્રમુખ
કોઇનો લાડકવાયો
કોઇનો લાડકવાયો
રચનાઓ કાવ્યસંગ્રહ -6; નવલકથા-13;નવલિકા સંગ્રહ  7; નાટક ગ્રંથ- 4; લોકકથા સંગ્રહ 13;લોકસાહિત્ય  વિવેચન/ સંશોધન 9; સાહિત્ય વિવેચન  3; જીવન ચરિત્ર- 13; ઇતિહાસ  6

No comments:

Post a Comment